Monday, 28 February 2011

વૈષ્ણવજન તો તેને રે કહીયે


વૈષ્ણવજન તો તેને  રે કહીયે  જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે  મન અભિમાન ન આણે રે

સકળ  લોકમાં  સહુને  વંદે   નિંદા    કરે  કેની  રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે  ધન ધન જનની તેની રે

સમદ્રષ્ટિને   તૃષ્ણા   ત્યાગી   પરસ્ત્રી  જેને    માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે  પરધન નવ ઝાલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના તનમાં રે

વણલોભી  ને  કપટ રહિત  છે  કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે

          -નરસિંહ મહેતા

No comments:

Post a Comment